Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જેતપુર ‘ભારત વિકાસ પરિષદ' શાખા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

(નિતીન વસાણી દ્વારા) નવાગઢ, તા.૨૧: રાષ્ટ્રીય પારિવારિક સંસ્‍થા ‘ભારત વિકાસ પરિષદ' જેતપુર શાખા પરિવાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું જેતપુર - નવાગઢના ધાર્મિક સ્‍થળ ખોડીયાર માતાજી મંદિર ખાતે સંસ્‍થાના સભ્‍ય પરિવાર મિલન અંતર્ગત ભારત માતા તથા સ્‍વામી વિવેકાનંદ પૂજન સાથેᅠ વંદેમાતરમ્‌ સમૂહગાન બાદ સંસ્‍થાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ.રાષ્ટ્રીય સંસ્‍થા દ્વારા પ્રકાશિત નવા વર્ષના આકર્ષક કેલેન્‍ડરનું વિતરણ કરવામાં આવેલ.નવા સભ્‍ય તરીકે જોડાયેલ પરીવારને સંસ્‍થા દ્વારા આવકારી સ્‍વાગત કરવામાં આવેલ.વર્ષ દરમિયાન થયેલ સેવાકીય પ્રકલ્‍પ અંગે પ્રો.ચેરમેન પ્રકાશ અગ્રાવત દ્વારા જાણકારી આપવામાં આવેલ. આભાર વિધી બાદ ઉપસ્‍થિત સૌ પરિવાર સભ્‍યોએ સ્‍વાદિષ્ટ મનભાવતું ભોજન પરિવાર સાથે સમૂહમાં લીધેલ.

ભોજન સમારંભ બાદ રાષ્ટ્રીય સંસ્‍થા ‘ભારત વિકાસ પરિષદ' દ્વારા થતાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વિશે ર્ંચાલો જાણીર્એં અંતર્ગત ‘સંપર્ક અભિયાન' યોજેલ જેમાં સંસ્‍થા સાથે નહીં જોડાયેલ પણ દેશપ્રેમની ભાવના ધરાવતાં અન્‍ય વ્‍યક્‍તિઓને સંસ્‍થાની પરિચય પુસ્‍તિકા આપી બહોળો સંપર્ક શાખાના કારોબારી સભ્‍ય દ્વારા કરવામાં આવેલ.

આ ત્રિવિધ કાર્યક્રમમાં આઝાદી અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘શહીદ દિન'ની પૂર્વ સંધ્‍યાએ જેતપુરના ‘કરાઓકે' મ્‍યુઝિક ગ્રુપ દ્વારા લાઈવ દેશભક્‍તિ ગીત કાર્યક્રમ રામજી મંદિર,સપ્તાહ મંડપ, નવાગઢ ખાતે યોજાયો હતો.આ સંગીત સંધ્‍યા કાર્યક્રમનો દેશભક્‍તોએ  લાભ લીધેલ.

જેતપુર સંસ્‍થાના આ યાદગાર ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર પ્રો.ચેરમેન પ્રકાશભાઈ અગ્રાવત,પ્રમુખ મોણપરા,મંત્રી દીપક ઢોલરિયા,ખજાનચી ધોળકિયા,એડવોકેટ વિજયભાઈ રાઠોડ તથા તમામ કારોબારી સમિતિ અને કાર્યક્રમને દીપાવવા ઉપસ્‍થિત સર્વે શાખા સભ્‍ય પરિવારનો આ તકે ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્‍છ પ્રાંતના વિભાગીય સહમંત્રી ચોટાઈ અશ્વીનભાઈ એ કાર્યક્રમની સફળતા બદલ ખુશી વ્‍યક્‍ત કરી સૌનો આભાર વ્‍યક્‍ત કરેલ.

(12:51 pm IST)