Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સાવરકુંડલામાં લીલા મરચામાં ગણપતિજીની પ્રતિકૃતિ

 સાવરકુંડલા, તા., ૧૦: રીધ્ધી સીધ્ધી નાથ મહાદેવ મંદિરના પુજારી પરીવારનાં મહિલા સભ્ય આજે સવારે શાકભાજી ખરીદવા માટે શાકભાજીની લારીએ ગયેલા ત્યારે શાકભાજીની લારી ધરાવતા મુસ્લીમભાઇએ તેમના હાથમાં આબેહુબ ગણેશજીની મુખાકૃતિ ધરાવતું મરચુ આવેલું તે મરચુ અલગ સાચવી રાખેલુ છે. જે પુજારી પરીવારની મહિલાને શ્રધ્ધાપુર્વક આપેલું. મહિલાએ આ વાતની જાણ ઘરના સભ્યોને કરતા પુજારીશ્રી જીતુગીરી બાપુએ મરચાને ભાવી પુર્વક રિધ્ધી-સિધ્ધી મંદિર માંમા પાર્વતીજીના ચરણો પાસે પધરાવ્યું હતું. સવારે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ  મરચામાં ગણેશજીનાં દર્શન કરી અચંબા સાથે ભાવ વિભોર બની ગયા હતા.(૪.૧૧)

(3:07 pm IST)