Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

માળીયાના સુખપુરની પરિણીત યુવતિએ ગળાફાંસો ખાધો

મૃતકના એક વર્ષ અગાઉ લગ્ન થયેલ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૭ : માળીયાના સુખપુર ગામની પરિણીત યુવતીએ ગળાફાંસો ખાય લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના સુખપુર ગામની ૨૫ વર્ષીય પરિણીતા આરતીબેને સોમવારની સાંજે ગળાફાંસો ખાયને મોતને મીઠું કરી લીધું હતું.

આ અંગે મૃતકના પતિ કેતન રાજેન્‍દ્રગીરી અપારનાથીએ જાણ કરતા માળીયા પોલીસે દોડી જઇ પરિણીતાના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મરનાર આરતીબેનના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. તેણીના લગ્ન એક જ વર્ષ અગાઉ થયા હતા. વિશેષ તપાસ ડીવાયએસપી ડી.વી.કોડીયાતર ચલાવી રહ્યા છે. નાના એવા ગામમાં પરિણીતાની આત્‍મહત્‍યાથી ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઇ છે.

(1:10 pm IST)