Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જામનગરમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની ત્રણ મહિલાઓ સામે રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ચંદ્રીકાબેન અશોકકુમાર યાદવ એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.૬-૬-ર૦રરના ડી.કે.વી. કોલેજ સામે, જામનગરમાં આરોપી મહિલા લક્ષ્મીબેન રાજુભાઈ બાબરીયા રોડ પર ઉભા રહી બોલાચાલી ઝઘડો બખોડો કરતા હોય જે કારણે ટ્રાફીક જામ થતો હોય તેઓને સાહેદ પો.કોન્‍સ. નિલેષભાઈએ સાઈડમાં જવા કહેતા તેમની સાથે બોલાચાલી કરવા લાગતા બાદ તેઓને પોલીસ સ્‍ટેશને ફરીયાદ કરવા લઈ આવતા ત્‍યાં હાજર અન્‍ય પોલીસ સ્‍ટાફ સાથે બોલાચાલી ઝઘડો કરી સાહેદ વુમન પોલીસ ચાંદનીબેન પર હુમલો કરી આરોપી લક્ષ્મીબેન રાજુભાઈ બાબરીયા, માનસીબેન મયંકભાઈ માધવ એ પકડી રાખી આરોપી રુચીબેન રાજુભાઈ બાબરીયાએ ઝાપટો મારી તેમજ ઈન્‍વે રૂમમાં રહેલ ખુરશી પોલીસને મારવા જતા ટેબલ સાથે ભટકાતા ખુરશી તોડી નાખી કિંમત રૂ.પ૦૦ ની નુકશાની કરી સ્‍ટેશનરી તથા કાગળો ટેબલ પરથી ઉપાડી ફેકી દઈ તેમજ પો.કોન્‍સ. જીતેન્‍દ્રભાઈ પર હુમલો કરી તેમની ડ્રેસમાં લગાવેલ નેમ પ્‍લેટ ખેચી તોડી નાખી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોલીસ ને ઝાપટો લતો મારી વ્‍યથા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું
અહી ફુલીયા હનુમાન, રામાપીરના મંદિર પાસે રહેતા હેમાબેન દિનેશભાઈ દેવજભાઈ, ઉ.વ.પ૬ એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૬-૬-ર૦રરના આ કામે મરણજનાર પ્રવિણભાઈ દિનેશભાઈ પરમાર, ઉ.વ.૩૦ને ખેંચની તથા માનસીક બિમારી હોય જેથી બિમારી ને કારણે કંટાળી જઈ પોતાની જાતે પોતાના ઘરે જાતેથી છતના પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.
એસીડ પી જતા પરણિતાનું સારવાર દરમિયાન મોત
અહીં નવાગામ ઘેડ, મધુવન સોસાયટી શેરી નં.-૧ રહેતા મુકેશભાઈ ગીરધરભાઈ મંધા, ઉ.વ.ર૯ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છેકે, તા.ર૪-પ-ર૦રરના આ કામે મરણજનાર ચંદ્રીકાબેન મુકેશભાઈ મંધા, ઉ.વ.ર૯ એ પોતાના હાથે પોતાના ઘરે એસીડ પી જતા સારવારમાં જી.જી.હોસ્‍પિટલમાં દાખલ હોય અને સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.
ઝેરી જનાવર કરડી જતા પરણિતાનું મોત
જામનગર જિલ્લાના બજરંગપુર ગામે રહેતા ભુપતભાઈ હંસરાજભાઈ વઢરૂકીયા, ઉ.વ.૩૦ એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૬-૬-ર૦રરના આ કામે મરણજનાર રેખાબેન ભુપતભાઈ હંસરાજભાઈ વઢરૂકીયા, ઉ.વ.૩૦ પોતાના ઘરે ગાયને નીણ નાખવા માટે નીણ લેવા જતા કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્‍પિટલમાંલઈ જતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

 

(1:03 pm IST)