Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

શ્રેષ્‍ઠ કામગીરી બદલ જૂનાગઢના ડીવાઇએસપીનું સન્‍માન

જૂનાગઢ : ડીવાઇએસપી પ્રદીપસિંહ જાડેજાની કામગીરી હેઠળ અંગદાન થયેલા અંગોને જૂનાગઢ થી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનાવી. તાત્‍કાલિક પણે સોમનાથ જતી ટ્રેનમા માત્ર ૨૨ મિનિટમાં ઓર્ગન ડોકટરો સુધી સુરક્ષિત પહોચાડયાની શ્રેષ્‍ઠ કામગીરી બદલ ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્‍તે સન્‍માન કરાયું હતું.જે  બદલ વિશ્વ હિન્‍દુ પરિષદના ગૌરક્ષા વિભાગ સૌરાષ્‍ટ્ર પ્રાંતના હોદે્‌દારો દ્વારા તેમને  સન્‍માન પત્ર અર્પણ કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃમુકેશ વાઘેલા જૂનાગઢ)

(12:51 pm IST)