Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પોરબંદરમાં રામદેવજી પ્રભુનો પાટોત્સવ

ભજન-કિર્તન-સમુહ પ્રસાદ તથા રાત્રે સંતવાણી

પોરબંદર, તા., ૭: નવાપરા ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ છાંયા મેઇન રોડ બાલવી માતાજી મંદિર પાછળ, ન્યુ ઘેડીયા કોળી સમાજ છાંયા પ્લોટ ખાતે રામદેવજી મહારાજનો પાટોત્સવ અને મિલન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે મિલન સમારંભ નવાપરા ઘેડીયા કોળી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાયત ભાઇ ઠેબાભાઇ વાઢીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે. જેનું જાણીતા સંત પૂજય શ્રી ઋષિ ભારતી મહારાજના હસ્તે મંગલદીપ પ્રાગટય થશે.

મુખ્ય મહેમાનપદે રાજયના મંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રમેશભાઇ ધડુક, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, બાબુભાઇ વાજા, બાબુભાઇ બોખીરીયા, કાંધલભાઇ જાડેજા, પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયા, જેઠાલાલ જોરા, જિલ્લા ભાજપ પોરબંદરના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, અખિલ ભારતીય કોળી સમાજના મંત્રી તથા પ્રભારી હેતલબેન વાંજા, અતિથિ વિશેષ તરીકે પરમ પૂજય ભીમભાઇ જેતમાલભાઇ બગીયા, જીલ્લા કોળી સમાજ પ્રમુખ ગીગાભાઇ ચાવડા, પોરબંદર-છાયાનગર પાલીકાના પ્રમુખશ્રી સરજુભાઇ કારીયા તેમજ સંતો, મહંતો સમાજ શ્રેષ્ઠીઓ અને કોળી સમાજના યુવા પ્રમુખો હાજર રહેશે.

રામદેવજી મહારાજના પાટોત્સવમાં તા.૧૦ મી શુક્રવારના રોજ બપોરે ર થી ૪ કલાકે ભજન સંકીર્તન ભજન મંડળી સાથે સામૈયા થશે. મિલન સમારોહ સાંજે ૪.૩૦ કલાકે સાંજે ૬.૩૦ કલાકે નાત જાતના ભેદભાવ વગર સમુહ પ્રસાદ અને રાત્રીના ૧૦ કલાકે કલાકારો શ્રી હેતલબેન વાઢીયા, વિજયભાઇ મોકરીયા, ભાવનાબેન બામણીયા સહીત અન્ય કલાકારો સાજીંદા ઉમેશબાપુ ગોંડલીયા ગૃપ સંતવાણી પ્રસ્તૃત કરશે. સંતવાણી કાર્યક્રમમાં સંતો, મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરી પ્રેરક બની રહેશે.

આ ઉત્સવને સફળ બનાવવા સમાજ શ્રેષ્ઠી લાખાભાઇ મોકરીયા તથા રામભાઇ બગીયાના માર્ગદર્શન હેઠળ વિજયભાઇ સગારકા, ભરતભાઇ રાઠોડ,મશેભાઇ ભુવા, અરજનભાઇ આંગોલીયા, વિક્રમભાઇ ડોડીયા, વિરમભાઇ મોકરીયા, પ્રફુલભાઇ બગીયા, મનુભાઇ માવદીયા, કેશુભાઇ કરગટીયા સહીત યુવક મંડળ, મહિલા મંડળના સદસ્યો જહેમત ઉઠાવી રહયા છે.

(12:50 pm IST)