Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ટાટા સન્‍સના ચેરમેન એન.ચંદ્રશેખરન દ્વારકાધીશજીના દર્શનેઃ મીઠાપુર કંપનીનું નિરીક્ષણ

શૃંગાર આરતીના દર્શન-પાદુકા પૂજનઃ મીઠાપુરમાં લીડરશીપ ટીમ અને કર્મચારીઓને માર્ગદર્શન

(વિનુભાઇ સામાણી - દિવ્‍યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર-દ્વારકા, તા.૭: ટાટા સન્‍સના ચેરમેન એન.ચંદ્રશેખરન કાલે દ્વારકાધીશ ભગવાનના દર્શને તથા મીઠાપુર કંપનીના મુલાકાતે આવ્‍યા હતા. મીઠાપુર ટાટા કેમીકલ્‍સની મુલાકાતે આવેલા ટાટા સન્‍સના ચેરમેન એન.ચંદ્રશેખરન એ આજે સવારે દ્વારકાધીશજીના ચરણમાં મસ્‍તક નમાવી શૃંગાર આરતીના દર્શન કર્યા હતા તેમણે ભગવાનની પાદુકાનું પુજન કરી આર્શીવાદ મેળવ્‍યા હતા, પુજારી પુરૂષોતમભાઇએ તેમનું દ્વારકાધીશજીના ઉપવસ્‍ત્રથી સ્‍વાગત કયુ હતું.

ટાટા સન્‍સ લિમિટેડના ચેરમેન શ્રી એન.ચંદ્રશેખરને ટાટા કેમિકલ્‍સના મીઠાપુર પ્‍લાન્‍ટની પ્રથમ મુલાકાતમાં લીડરશીપ ટીમ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી તથા આસપાસના સમુદાયો વચ્‍ચે કરાતી કામગીરી અંગે જાણકારી પ્રાપ્‍ત કરી હતી.

(11:58 am IST)