Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જૂનાગઢ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણઃ ‘સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ'નું અનાવરણ

જૂનાગઢ : આઝાદીકા અમૃત મહોત્‍સવ અંતર્ગત જળકાંતી અભિયાનના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વૃક્ષો વાવવાના સંકલ્‍પનો ખલીલ પુર રોડ ખાતેથી ગીતાબેન પરમારનાં હસ્‍તે વૃક્ષારોપણ કરાવ્‍યુ હતુ. તેમજ કયાડાવાડી રોડથી ખલીલપુર ચોકડી રોડ સુધી રોડને ‘સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ' તરીકેનું નામકરણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં કમિશ્નર રાજેશ એમ. તન્ના, ગીરીશભાઇ કોટેચા, હરેશભાઇ પરસાણા, હીરાભાઇ સોલંકી, પુનિતભાઇ શર્મા, પ્રફુલાબેન ખેરાળા, પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હીરપરા, કુસુમબેન અકબરી, રાજેશભાઇ ધુલેશીયા, જયેશભાઇ ધારાજીયા, ધર્મેશભાઇ પોશિયા, જયોતિબેન વાઘાણી, ભરતભાઇ શિંગાળા, યોગીભાઇ પઢિયાર કલ્‍પેશભાઇ ટોલીયા, અલ્‍પેશભાઇ ચાવડા, રાજેશ એલ. પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ વૃક્ષારોપણ અભિયાનમાં કલિમલ ડેવલોપર્સ દ્વારા ૫૦૦ વૃક્ષોનુ દાન કરાયુ હતું. તથા શહેરી જનોને પોતાનાં રહેણાંક વિસ્‍તારમાં વ્‍યકિત દીઠ એક વૃક્ષ વાવી ઉછેર કરવા મેયર ગીતાબેન પરમાર દ્વારા અપીલ કરાઇ છે.(અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલાઃ જૂનાગઢ)

(11:33 am IST)