Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

અક્ષયકુમારની ફિલ્‍મ ‘પૃથ્‍વીરાજ ચૌહાણ'માં રાજગાયકના અભિનયમાં ભાવનગરના ચિંતન ઉપાધ્‍યાય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૭ : વીર સપૂત ‘પૃથ્‍વીરાજ ચૌહાણ' ફિલ્‍મ કે જેમાં જાણીતા એકટર અક્ષયકુમારે પૃથ્‍વીરાજનો અભિનય આપ્‍યો છે અને નિર્દેશન શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદીનું છે. તેમાં રાજગાયક તરીકેનો રોલ ભાવનગરના ચિંતન મધુકરભાઇ ઉપાધ્‍યાય કરી રહ્યા છે.
ચિંતને ધ્રુપદ - ધમાર ગાયીકીમાં પોતાનું નામ દેશ-વિદેશમાં ગુંજતું કર્યું છે. ફિલ્‍મ ક્ષેત્રે તેમના નાનકડા પદાર્પણથી ભાવનગરને ગૌરવ અપાવ્‍યું છે. ચિંતનના પિતા મધુકરભાઇ અને માતા હર્ષાબેન ભાવનગરમાં સંગીતની તાલીમ આપી રહ્યા છે.

 

(11:27 am IST)