Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જામજોધપુરમાં પુસ્‍તક વિમોચન અને એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૭ :.. અખિલ ભારતીય ગોસ્‍વામી વિકાસ મંચ તથા ‘અતિત ગૌરવ' માસિક બાલવાના સંયુકત ઉપક્રમે ‘જોગમાયા બાલવી' તેમજ ‘મોક્ષગતિના માર્ગે' લેખક વસંતગીરી ગોસ્‍વામી દ્વારા લખાયેલ પુસ્‍તકોની વિમોચન વિધી તેમજ સમાજમાં ગૌરવ અપાવનાર ગોસ્‍વામી સમાજના ડોકટર, વકીલ, ઉદ્યોગપતિ, બિઝનેશમેન-લેખકોનું એવોર્ડ અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય ગોસ્‍વામી સમાજના અધ્‍યક્ષ દિલ્‍હીના સચ્‍ચિદાનંદગીરીજી, મુંબઇ થી મહંત દયાનંદગીરીજી, અમદાવાદથી ચિમનપુરીજી, જુનાગઢથી મનિષગીરીજી, હરેશગીરીજી ખંભાળા, રમણીકગીરીજી, કચ્‍છ-ભુજથી ડો. ટી. બી. ગોસાઇ-ભાણવડથી, લખનભાઇ કરમુર-જામનગરથી, નયનભાઇ મકવાણા, રમેશભાઇ મકવાણા-રાજકોટ, સુરેશગીરીજી-ઉપલેટા-ધારીથી ખોડીયાર મંદિરના મહંતશ્રી, અમિતભાઇ ભાણવડીયા-રાજકોટ, કોટેશ્વર કચ્‍છના મહંત દિનેશગીરીજી તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તેમજ ગુજરાતના અગ્રગણ્‍ય જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો.
સફળ બનાવવા ‘અતિત ગૌરવ' માસિકના તંત્રી વસંતગીરી ગોસ્‍વામી તેમજ દિનેશગીરી ગોસ્‍વામી (બાલવા) એ જહેમત ઉઠાવી હતી.

 

(10:39 am IST)