Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

અમદાવાદમાં પેન ગ્રુપ દ્વારા વાંકાનેરના એક જ પરિવારના ત્રણ પેઢીનું સન્‍માન

 વાંકાનેર : પ્રજાપતિ ઈન્‍ટરપેનલ નેટવર્ક - પેન ગ્રુપ દ્વારા અમદાવાદ એફ્‌.બી.ફાર્મ ચિલોડા ખાતે પેન ગ્રુપના પ્રણેતા રાકેશભાઈ પ્રજાપતિને એક ઉત્તમ વિચાર આવ્‍યો કે ગુજરાતમાં વસતા પ્રજાપતિ સમાજના ભજનીકો, લોકસાહિત્‍યકારો, લેખકો,કવિઓ તેમજ અન્‍ય કલાકારોનું બહુમાન કરવું. ગુજરાતમાં આશરે ચાલીસ લાખની વસ્‍તી છે તેમાંથી લગભગ આખા ગુજરાતના ખુણે ખુણેથી ૧૫૦ થી વધારે કલાકારોની યાદી કરવામાં આવી અને તમામ કલાકારોનું પ્રથમ વખત આવડું મોટું સન્‍માન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું. વાંકાનેર થી એક જ પરીવારના ત્રણ પેઢીનું સન્‍માન કરાયું લોકસાહિત્‍ય ક્ષેત્રે ૪૦૦૦થી વધુ જાહેર કાર્યક્રમો એકદમ સેવાથી આપનાર લોકસાહિત્‍યના અડાભીળ ધેધુર વડલા સમાન વડીલ મુરબ્‍બી શ્રી ડાયાલાલ મંત્રીશ્રીનુ તેમજ તેમના પુત્ર હર્ષદરાય પ્રજાપતિ જેઓ કવિ હર થી ઓડખાય છે અને ખુબ સુંદર કવિતા, ગઝલ ભજન લખે છે એમનું પણ સન્‍માન કરાયું હતું તેમજ હર્ષદરાય પ્રજાપતિ ના પુત્ર યથાર્થ કણસાગરાનું પણ લોકસાહિત્‍યકાર તરીકે સન્‍માન કરાયું હતું યથાર્થ ભાઈ નાની ઉંમરમાં સાહિત્‍ય ની ખુબ ઉંડાણ પૂર્વક ની સમજ ધરાવે છે એક જ પરિવારના ત્રણ સભ્‍યોનું સન્‍માન થતાં વાંકાનેર તેમજ પ્રજાપતિ સમાજના એમના ચાહકો મોબાઇલ નંબર ૯૨૭૬૭ ૦૦૧૪૨ ઉપર ખુબ અભીનંદન પાઠવી રહ્યા છે. 

(10:36 am IST)