Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ટાટા સન્‍સના ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારકાધીશના દર્શનેઃ મીઠાપુર પ્‍લાન્‍ટનુ નિરીક્ષણ

શૃંગાર આરતીના દર્શન કરીને પાદુકા પૂજન કર્યુઃ પ્રથમ વખત કંપનીના પ્‍લાન્‍ટની મુલાકાત લીધી

દ્વારકાઃ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને ટાટાના ચેરમેન એન.ચંદ્રશેખરનએ ધન્‍યતા અનુભવી હતી.(તસ્‍વીરઃ દિપેશ સામાણીઃ દ્વારકા)
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૬: ટાટા સન્‍સના ચેરમેન ચંદ્રશેખરના આજે દ્વારકાધીશ ભગવાનના દર્શને આવ્‍યા હતા અને ત્‍યારબાદ મીઠાપુર ખાતેના પ્‍લાન્‍ટનું નિરીક્ષણ કર્યુ હતું.
મીઠાપુર ટાટા કેમીકલ્‍સની મુલાકાતે આવેલા ટાટા સન્‍સના ચેરમેન એન. ચંદ્રશેખરન એ આજે સવારે દ્વારકાધીશજીના ચરણમાં મસ્‍તક નમાવી શૃંગાર આરતીના દર્શન કર્યા હતા.  તેમણે ભગવાનની પાદુકાનું પુજન કરી આર્શીવાદ મેળવ્‍યા હતા. પુજારી પુરૂષોતમભાઇએ તેમનું દ્વારકાધીશજીના ઉપવસ્‍ત્રથી સ્‍વાગત કર્યુ હતું.
ટાટા સન્‍સના ચેરમેન એન.ચંદ્રશેખરન આજે પ્રથમ વખત મીઠાપુર સ્‍થિત ટાટા કેમીકલ્‍સ પ્‍લાન્‍ટની મુલાકાત લીધી હતી અને જુદા-જુદા વિભાગોનું નિરીક્ષણ કરીને વિવિધ મુદે ચર્ચા-વિચારણા કરી હતી.

 

(4:28 pm IST)