Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

વાંકાનેરમાં ઇ-શ્રમકાર્ડ વિતરણ

 વાંકાનેર : ઇ-શ્રમ યોજનાના ભાગરૂપે વાંકાનેર જીનપરા માંધાતા મંદિર પાસે ૭પ૦ કાર્ડનું વિતરણ ગઇકાલે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલાની અધ્‍યક્ષસ્‍થાને સર્વે સમાજના મહિલા અને પુરૂષોને ઇ-શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે જીનપરા ખાતે મોરબી જીલ્લા કોળી સેના અને માંધાતા ગ્રુપના પ્રમુખ રમેશભાઇ મકવાણા દ્વારા વહીવટી તંત્રની કામગીરી બાદ તમામ કાર્ડ એટલે કે ૭પ૦ જેટલા કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ પ્રસંગે વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ રતીલાલ અણીયારીયા તથા ગુણવંતભાઇ પાટડીયા, કોળી સેના માંધાતા ગ્રુપ યુવા ટીમ, નગરપાલીકાના પૂર્વ ચેરમેન શ્રી જયોત્‍સનાબેન મકવાણા, વાંકાનેરના સીનીયર મોસ્‍ટ પત્રકાર મહંમદભાઇ રાઠોડ અને આ કાર્યક્રમના ગ્રુપના આયોજકો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા અને કાર્ડનું વિતરણ કરાયું છે.

 

(10:41 am IST)