Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વિશ્વકર્મા સોસાયટીમાં એમપીના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

કારણ અકળઃ પોલીસે વાલીવારસને જાણ કરી

રાજકોટ તા. ૧૦: ઢેબર રડ પર વિશ્વકર્મા સોસાયટીમાં ભાડાની ઓરડીમાંરહેતાં મુળ મધ્‍યપ્રદેશના યુવાને દોરીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ભક્‍તિનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ એન. બી. ડોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન એકલો જ રહેતો હોઇ અને તેના વાલીવારસ એમપી હોઇ પોલીસે ત્‍યાં જાણ કરવા તજવીજ આદરી છે. મૃતક કારખાનામાં મજૂરી કરતો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.

(3:17 pm IST)