Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

દિલ્હીના મયુર વિહારમાં બીજેપી નેતા જીતુ ચૌધરીની તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા

જીતુ ચૌધરી પર ફાયરિંગ કરીને હુમલાખોરો ભાગી ગયા : જીતુ ચૌધરી ભાજપના મયુર વિહાર જિલ્લા મંત્રી હતા.

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના મયુર વિહારમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા જીતુ ચૌધરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.  જીતુ ચૌધરીને આજે બુધવારે રાત્રે લગભગ ૮.૧૫ વાગ્યે મયુર વિહાર ફેઝ-3માં તેમના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.  જીતુ પર ફાયરિંગ કરીને હુમલાખોરો ભાગી ગયા હતા.  પરિવાર જીતુને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.  જીતુ ચૌધરી ભાજપના મયુર વિહાર જિલ્લા મંત્રી હતા.

(12:40 am IST)