Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ક્રિકેટર યુવરાજ સિંઘના વચગાળાના જામીન મંજુર : કથિત જ્ઞાતિવાદી ટિપ્પણી કરવાના આરોપસર નોંધાયેલી ફરિયાદ મામલે ધરપકડ થાય તો બોન્ડ આપવાની શરતે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે વચગાળાના જામીન માટે મંજૂરી આપી

પંજાબ : ક્રિકેટર યુવરાજ સિંઘ વિરુદ્ધ કથિત જ્ઞાતિવાદી ટિપ્પણી કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ રદ કરવા તેણે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટેમાં અરજી કરી હતી.

આથી નામદાર કોર્ટે તેની ધરપકડ થાય તો તે સામે વચગાળાના જામીન મંજુર કર્યા હતા.તથા તપાસમાં સહકાર આપવા અને બોન્ડ રજૂ કરવાની શરતે વચગાળાના જામીન આપવા મંજૂરી આપી હતી.

ન્યાયમૂર્તિ અમોલ રતન સિંહની ખંડપીઠે તેમની કથિત જાતિવાદી ટિપ્પણીઓ માટે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવાની સિંહની અરજીની સુનાવણી કરી રહી હતી.જેમાં ગયા વર્ષે અન્ય એક ક્રિકેટર વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરી ઇન્સ્ટાગ્રામ ઉપર વાઇરલ કરવાનો આરોપ છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(1:02 pm IST)