Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

હાર્દિકે કોંગ્રેસના રાજકારણનો જાહેરમાં પર્દાફાશ કર્યો છે : કોંગ્રેસની માનસિકતા સમજાઈ ગઈ : રાઘવજીભાઈ પટેલ

હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર કૃષિમંત્રીનું મોટું નિવેદન: કહ્યું - અમે પણ વર્ષો સુધી કોંગ્રેસની માનસિકતાનો અનુભવ કર્યો છે'

અમદાવાદ :  હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર કૃષિમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પોરબંદરના દેગામમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'હાર્દિકે કોંગ્રેસના રાજકારણનો જાહેરમાં પર્દાફાશ કર્યો છે'. હાર્દિકે કોંગ્રેસનો પર્દાફાશ કર્યો તેનો મને આનંદ છે. 'અમે પણ વર્ષો સુધી કોંગ્રેસની માનસિકતાનો અનુભવ કર્યો છે'. હાર્દિકને પણ કોંગ્રેસની માનસિકતા સમજાઈ ગઈ છે

(12:52 am IST)