Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

માતા સાથે નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં 30 વર્ષીય યુવકે જન્મદિવસના દિવસેજ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર

વડોદરા: માતા સાથે નજીવી બાબતે બોલવાનું થતા ૩૦ વર્ષના યુવકે બર્થડેના દિવસે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડસર રોડ હરિનગરમાં  ૩૦ વર્ષનો રણજીતસિંહ છત્રસિંહ પરમાર તેની વિધવા માતા સાથે રહે છે.અને વડસર વિસ્તારની એક દુકાનમાં નોકરી કરે છે.ગઇકાલે  તેની બર્થડે હતી.અને બપોરે ઘરે સુઇ ગયા પછી તેના ભાભી જમવા માટે તેને ઉઠાડવા ગયા ત્યારે જોયું તો રણજીતે ફાંસો ખાઇ લીધો હતો.બનાવની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,રણજીત છેલ્લા ત્રણ ચાર દિવસથી નોકરી પર જતો નહતો.જેથી,તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો.જેના કારણે તેને લાગી આવતા તેને આપઘાત કર્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.પોલીસને કોઇ અતિમચિઠ્ઠી મળી નથી.

(6:09 pm IST)