Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાજપીપળામાં મિતગ્રુપ દ્વારા જતીનભાઈ શાહના જન્મ દિવસ નિમિત્તે પાંચ યુવાનોએ રક્તદાન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો આદિવાસી પછાત વસ્તી ધતાવતો જિલ્લો છે, આ જિલ્લામાં સિકલસેલ સહિત અન્ય કેટલીક બીમારીઓમાં દર્દીઓને લોહીની જરૂર પડે છે જેમાં ગર્ભવતી મહિલા ઓને ખાસ લોહીની જરૂર જણાય ત્યારે રાજપીપળા મિતગ્રૂપના સભ્યો ને જાણ થતાં તેઓ તાત્કાલિક લોહી આપવા દોડતા હોય છે. તેમની આ સેવા ખરેખર બીમાર દર્દીઓ માટે સરાહનીય છે .જેમાં મિતગ્રુપના પ્રેરણા સ્ત્રોત એવા જતિનભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે પાંચ યુવાનો દ્વારા રક્તદાન કરવામા આવ્યુ હતું એ લોહી ગમે ત્યારે કોઈપણ બીમાર દર્દીઓ માટે લાભદાયી સાબિત થશે.જોકે મિતગ્રૂપના સભ્યો અવાર નવાર રક્તદાન કરી અત્યારસુધી કેટલાય લોકોની જિંદગી બચાવવામાં મદદરૂપ થયા છે ત્યારે આજે જતીનભાઈ શાહના જન્મ દિવસે વધુ એકવાર રક્તદાન કરી ઉમદા કાર્ય કર્યું હતું.

(10:59 pm IST)