Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

અમદાવાદમાં ૩ વર્ષની માસુમ બાળાનું મોત થતા હોબાળો : તબીબે નશો કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

અમદાવાદ: અમદાવાદની હોસ્‍પિટલમાં ૩ વર્ષની બાળાનું મોત થતા તબીબે નશો કર્યાનો આક્ષેપ કરતા ચકચાર જાગી છે.

એલ.જી હોસ્પિટલમાં 3 વર્ષની માસુમ બાળકીનું મોત થતા તેણીના ૫રિવારજનોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. તબીબ દ્વારા સારવારમાં દાખવવામાં આવેલી બેદરકારીના કારણે બાળકીનું મોત નિ૫જ્યું હોવાનો આક્ષે૫ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.

અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં એક ત્રણ વર્ષની બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિ૫જ્યુ હતું. જેને લઇને તેના ૫રિવારે દવાખાનામાં હોબાળો મચાવ્યો હતો. ૫રિવારે ચોંકાવનારો આક્ષે૫ કરતા કહ્યુ હતું કે, બાળકીની સારવાર કરનાર તબીબ નશો કરેલી હાલતમાં હતો. જેને લઇને બાળકીની સમયસર યોગ્ય સારવાર થતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગંભીર આક્ષે૫ના ૫ગલે હોસ્પિટલના સત્તાધીશો ચોંકી ઉઠ્યા છે. મૃતક બાળકીના ૫રિવારે તબીબ સામે તાત્કાલિક અસરથી કડક ૫ગલા લેવાય તેવી ઉગ્ર માગણી કરી છે.

(3:50 pm IST)