Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

રાજકોટના બે સહિત રાજ્‍યના ૮૮ પીઆઇની બદલીઃ વડોદરાથી બે પીઆઇને રાજકોટ મુકાયા

બી-ડિવીઝનના એમ. બી. ઓૈસુરાને સુરત અને લાયસન્‍સ બ્રાંચના એન. એન. ચુડાસમાને કચ્‍છ મુકાયાઃ રાજકોટ રૂરલના પી. ડી. દરજીને મહેસાણા, ખેડાના એ. જી. ગોસાઇ રાજકોટ રૂરલમાં

રાજકોટ તા. ૨: રાજ્‍યના ૮૮ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલના ઓર્ડર નીકળ્‍યા છે.   જેમાં રાજકોટ શહેરના બે પીઆઇની બદલી થઇ છે અને વડોદરા શહેર અને ગ્રામ્‍યના એક એક મળી બે પીઆઇને રાજકોટ શહેરમાં મુકાયા છે. ખેડાના પીઆઇની રાજકોટ રૂરલમાં બદલી કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ શહેર બી-ડિવીઝનમાં ફરજ બજાવતાં પીઆઇ એમ. બી. ઓૈસુરાની સુરત શહેર ખાતે બદલી થઇ છે. જ્‍યારે શહેર પોલીસ કમિશનર કચેરી લાયસન્‍સ બ્રાંચના પીઆઇ એન. એન. ચુડાસમાની બદલી કચ્‍છ પુર્વ ગાંધીધામ ખાતે થઇ છે. વડોદરા શહેરના  એન. કે. વ્‍યાસ તથા વડોદરા ગ્રામ્‍યના જે. એમ. વાઘેલાને રાજકોટ શહેરમાં નિમણુંક આપવામાં આવી છે. જ્‍યારે ખેડા ગ્રામ્‍યના એન. જી. ગોસાઇની બદલી રાજકોટ રૂરલમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગરના એસ. એસ. નિનામાને મહેસાણા મુકાયા છે, દેવભુમિ દ્વારકાના જે. કે. ડાંગરને એસીબીમાં મુકાયા છે. બોટાદના એચ. આર. ગોસ્‍વામીની ગીર સોમનાથ અને શ્રીમતી આર. એમ. ચોૈહાણી ડીજીપી કચેરી ખાતે, રાજકોટ ગ્રામ્‍યના પી. ડી. દરજીની મહોસણા, જામનગરના આર. જી. ચોૈધરીની સુરેન્‍દ્રનગર, ભાવનગર રેન્‍જના પી. વી. જાડેજાની બદલી જીઇબીમાં, અમરેલીના પી.આર. વાઘેલાની ભરૂચ, તેમજ શ્રીમતી એમ. એ. સિંહની બદલી એસીબીમાં થઇ છે. આ તમામ બિન હથીયારી પીઆઇને બદલીના સ્‍થળે તત્‍કાળ હાજર થવા ડીજીશ્રી આશિષ ભાટીયાએ આદેશ આપ્‍યો છે. (૧૪.૭)

 

જેતપુર સીટી પીઆઇ જે. બી. કરમુરની સીઆઇડી ક્રાઇમમાં બદલી

 જેતપુર સીટીમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. બી. કરમુરની બદલી પણ થઇ છે. તેમને સીઆઇડી ક્રાઇમમાં મુકવામાં આવ્‍યાનું જાણવા મળ્‍યું છે.

(12:43 pm IST)