Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગાવસ્કરના મતથી અસહમતી દેખાડતા માંજરેકરે આપ્યો કોહલીને ટેકો

નવી દિલ્હી : ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મહાન પ્લેયર સુનિલ ગાવસ્કરે હાલમાં કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટન્સી વિશેના મુદ્દા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. આ પ્રશ્નોનું અન્ય ભૂતપૂર્વ ઈન્ડિયન પ્લેયર સંજય માંજરેકરે ખંડન કર્યુ છે અને કોહલીના પક્ષમાં ટેકો આપ્યો છે. માંજરેકરે આ વિશે જવાબ આપતા કહ્યુ હતું કે વિરાટ કોહલીના કેપ્ટન તરીકે કરવામાં આવેલા ગાવસ્કર સરના મતથી હું અસહમત છું. વર્લ્ડકપમાં ભારતનો પર્ફોર્મન્સ સારો જ હતો. તેમણે સાત મેચ જીતી અને માત્ર બે મેચ હારી હતી. એમાં પણ છેલ્લી મેચ ખૂબ જ ઓછા માર્જીનથી હારી ગયા હતા. એક સિલેકટર તરીકે વ્યકિતના કદ કરતા તેની પૂર્ણતા વધારે મહત્વની છે.

ગાવસ્કરના મતે કોહલીને માત્ર વર્લ્ડકપ સુધી જ ઈન્ડિયન ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં તેની કેપ્ટન તરીકેની નિમણુંક પર ગાવસ્કરે પ્રશ્નો ઉભા કર્યા હતા.

(2:15 pm IST)