Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ખેલાડીઓના માર્ગદર્શન માટે પૂજારા કરતાં સારો બીજો કોઈ નહીં : ઉનડકટ

ત્રીજી ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર ને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ

નાગપુરમાં ત્રીજી ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ રમાશે. દરમ્યાન સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે કહ્યું હતું કે શ્નઅમારા ખેલાડીઓના માર્ગદર્શન માટે ચેતેશ્વર પુજારા કરતાં સારો બીજો કોઈ નથી.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં શાનદાર ફોર્મનું પ્રદર્શન કરનારા પુજારાએ પોતાના એ ફોર્મને રણજી ટ્રોફીમાં પણ જાળવી રાખ્યું હતું. તેણે ઉત્ત્।ર પ્રદેશ અને કર્ણાટક સામેની અનુક્રમે કવોર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલમાં મેચ જિતાડનારી ઇનિંગ્સ રમી હતી. ઉનડકટે કહ્યું હતું કે ટીમમાં પુજારાનો સૌથી સારો પ્રભાવ છે. ભારતીય ટીમ માટે હાલમાં તે આધાર સમાન છે, જયારે સૌરાષ્ટ્રની ટીમ માટે તે ઘણા સમયથી આધારરૂપ છે.

(3:25 pm IST)