Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

યોકર્શર વતી રમવું એ મારા માટે ગૌરવની વાતઃ ચેતેશ્વર

સચિન-યુવરાજ પણ રમી ચુકયા છેઃ આ ટીમે કેનવિલીયમ્સનની પણ પસદગી કરી છે

IPLની હરાજીમાં કોઇ ટીમ નહિ ખરીદેલો રાજકોટનો ફાંકડો બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશર  ટીમ માટે રમશે. આ ટીમે બે વિદેશી ખેલાડી તરીકે ન્યુ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલીયમસન અને પુજારાની પસંદગી કરી છે. તેમનો કોન્ટ્રેકટ અગાઉ થયો હતો,  પણ જાહેરાત કલબની વેબસાઇટ પર કરવામાં આવી છે.  ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં ક્રિેકટની સીરીઝ પુરી કરશે પછી કાઉન્ટ ક્રિકેટ શરૂ થશે. ભારતની છેલ્લી મેચ ૧૮ સપ્ટેમ્બરે પુરી થશે એ પછી પુજારા યોર્કશરે વતી ૨૪ સપ્ટેમ્બરે વર્સેસ્ટરશર સામે મેચ રમશે. આ સંદર્ભમાં બોલતાં ચેતેશ્વર પુજારાએ કહયું હતું કે યોર્કશર વતી સચિન તેન્ડુલકર અને યુવરાજસિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓ રમી ચુકયા છે અને એ ટીમે સાથે જોડાવાનો  મને મોકો મળ્યો છે એ મારા માટે ગૌરવની વાત છે.

(3:37 pm IST)