Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

આઈપીએલની હરાજીમાં આ પાંચ ક્રિકેટરોના ચમક્યા નસીબ

નવી દિલ્હી: વિજય હઝારે ટ્રોફીના ઘણા યુવા ક્રિકેટરોએ પોતાના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા છે. જ્યારે પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે, ત્યારે તમામ ફ્રેન્ચાઇઝીની નજર ક્રિકેટરો પર રહેશે.આમાંના કેટલાક ખેલાડીઓને ભારે કિંમત પણ મળી શકે છે. વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ પ્રભાવ પાડનારા બેટ્સમેનોમાં મુંબઇની યશસ્વી જયસ્વાલનો સમાવેશ છે. જયસ્વાલે ટૂર્નામેન્ટની માત્ર મેચમાં 564 રન બનાવ્યા હતા. આમાં તેણે બે સદી સહિત ત્રણ સદી ફટકારી છે. સૌથી વધુ રન કર્ણાટકના દેવદત્ત પાદિકલે કર્યા છે. તેણે 11 મેચોમાં 609 રન બનાવ્યા છે.

દેવદત્ત પદિકલ (કર્ણાટક): મેચ 11, 609, શ્રેષ્ઠ 103 રન

બી અપારાજીથ (તામિલનાડુ): મેચ 12, રન 598, બેસ્ટ 111

યશસ્વી જયસ્વાલ (મુંબઇ): મેચ 6, રન 564, શ્રેષ્ઠ 203

આરઆર દલાલ (અરુણાચલ પ્રદેશ): મેચ 8, રન 515, શ્રેષ્ટ 95

વિષ્ણુ વિનોદ (કેરળ): મેચ 8, રન 508, શ્રેષ્ટ 139

(12:18 pm IST)