Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

બકવાસ કરવામાં આવી રહ્યો છે

રોહિત શર્મા સાથેના ઝઘડા વિશે પૂછતા વિરાટ કોહલીએ કહ્યું...

મુંબઈ : રોહિત સાથેના મુદ્દા પર ચુપ્પી તોડતા વિરાટે કહ્યું હતું કે મારા મતે આ બધી બકવાસ છે અને હાસ્યાસ્પદ છે. હું એક પબ્લિક ઇવેન્ટમાં હતો જયાં તમારા વખાણ થતાં હોય છે અને અહીં આપણે વાસ્તવિકતા ને નકારીને કાલ્પનિક તને સ્વીકારીએ છીએ.

વર્લ્ડ કપ બાદ ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કા શર્માએ એક પોસ્ટ મૂકી હતી જેને રોહિત અને કોહલીની વિવાદ સાથે જોવામાં આવતી હતી. આ અંગે કોહલીના કહેવું હતું કે હું એ લાંબા સમય થી જોતો આવ્યો છું. હંમેશાં વ્યકિતગત જીવનને મિકસરમાં લાવવામાં આવે છે. હું ૧૧ વર્ષથી અને રોહિત ૧૦ વર્ષ (૧૨ વર્ષ)થી રમી રહ્યો છે અને એ વિચિત્ર છે કે લોકો અમારા માટે આવુ વિચારે છે.

(1:01 pm IST)