Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

કોલકાત્તામાં રમાનાર ભારત-બાંગ્લાદેશ વચ્‍ચેનો ટેસ્ટ મેચ ડે-નાઇટ રમાશેઃ ગાંગુલી

નવી દિલ્હીઃ બીસીસીઆઇના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીઅે ૨૨ નવેમ્બરથી કોલકત્તામાં રમાનાર ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટેસ્ટ ડે-નાઇટ રમાનાર હોવાની જાહેરાત કરી છે. બીસીસીઆઇઅે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને અગાઉ આ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો જેનો બાંગ્લાદેશે સ્‍વીકાર કર્યો છે. ભારતનો આ પહેલો ડે-નાઇટ ટેસ્ટ મેચ છે અને ભારતમાં પણ પહેલી વાર જ ડે-નાઇટ ટેસ્ટની શરૂઆત થશે. ગાંગુલીઅે જણાવેલ કે આ સારૂ ડેવલપમેન્ટ છે, ટેસ્ટ ક્રિકેટમાં તેની જરૂર હતી. હું અને મારી ટીમ કોહલીને ધન્યવાદ આપીઅે છીઅે, તેઓ ડે-નાઇટ ટેસ્ટ માટે તૈયાર થયા.

(7:46 pm IST)