Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ભારતીય ક્રિકેટર સાંસદ બનતા પાક.ના પેટમાં તેલ રેડાયુ

ગંભીરને એવા લોકોએ મત આપ્યો કે જેનામાં અક્કલ નથી : આફ્રિદીનો બફાટ

નવી દિલ્હી : ક્રિકેટના મેદાન પર ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદીના વાકયુદ્ધથી સૌકોઈ પરિચિત છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં ગૌતમ ગંભીરે ભારે મતોથી વિજય મેળવ્યો હતો જેના પર પાકિસ્તાનની એક પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેણે ગૌતમની ટીકા કરતાં કહ્યું હતું કે લોકોએ તેને વોટ આપ્યો છે જેનામાં અક્કલ નથી.

વાસ્તવમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા વખતે ગૌતમે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવાની વાત કહી હતી. આ વાતના જવાબરૂપે જ આફ્રિદીએ કહ્યું હતું કે શ્નશું તમને લાગે છે કે કોઈ સમજદાર વ્યકિત આ વાત કહી રહી છે? શું શિક્ષિત લોકો આવી રીતે વાત કરે છે? આ સાવ બેકાર વાત છે માટે લોકોએ તેને વોટ દીધો છે એનામાં અક્કલ નથી.

(1:19 pm IST)