Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ સીરીઝ માટે શ્રીલંકા ટીમની જાહેરાત

થીસારા પરેરા, શહન જયસુર્યા અને નુવાન પ્રદીપની વાપસી: કસુન રાજિથા, માનુકા રાજપક્ષે અને ઓશદા ફર્નાન્ડો બહાર

નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડીઝ સામે રમાવનારી ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝ માટે શ્રીલંકાએ પોતાની ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી છે. ટીમમાં થીસારા પરેરા, શહન જયસુર્યા અને નુવાન પ્રદીપની વાપસી થઈ છે. જ્યારે કસુન રાજિથા, માનુકા રાજપક્ષે અને ઓશદા ફર્નાન્ડોને બહાર રસ્તો દેખાડવામાં આવ્યો છે.

 ન્યુઝીલેન્ડ ટી-૨૦ સીરીઝ અને ભારત સામે ટી-૨૦ સીરીઝમાં તક મળ્યા બાદ થીસારા પરેરાએ ઘણી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ મળીને ૧૯૩ રન બનાવ્યા અને ૧૧ વિકેટ પ્રાપ્ત કરી હતી. તેના સિવાય વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વનડેમાં નીચલા ક્રમમાં તેમને મહત્વપૂર્ણ બેટિંગ કરી હતી. પીઠની ઈજાથી પરેશાન ઓપનર દનુષ્કા ગુણાથિલાકા પસંદગી માટે ઉપલબ્ધ રહ્યા નહોતા

 શ્રીલંકા-વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે પ્રથમ ટી-૨૦ ૧ માર્ચના રમાશે. ત્યાર બાદ બીજી મેચ ૪ માર્ચ અને ત્રીજી અને અંતિમ ટી-૨૦ ૬ માર્ચના રમાશે. બધી મેચ પલ્લેકેલે સ્ટેડીયમમાં રમાશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ સીરીઝ માટે શ્રીલંકન ટીમ આ પ્રકાર છે : લસિથ મલિંગા (કેપ્ટન), નીરોશન ડીકવેલા (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, કુસલ પરેરા, દનુષ્કા ગુણાથીલાકા, કુસલ મેન્ડીસ, શેહાન જયસુર્યા, દાસુન શનાકા,વાનીન્દુ હસરંગા, અકિલા ધનંજય, લખન સંદાકન, ઇસુરુ ઉડાના, લાહીરુ કુમારા, લાહીરુ મદુશંકા

(11:02 am IST)