Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ટી-૨૦ રમવા ભારતીય ક્રિકેટ બોર્ડનું ઝિમ્બાબ્વેની જગ્યાએ શ્રીલંકાને આમંત્રણ

ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકન ક્રિકેટ ટીમને આવતા વર્ષે ભારતમાં ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝ રમવાનું આમંત્રણ આપ્યુ છે. આ મેચ પાંચ સાત અને દસમી જાન્યુઆરીએ અનુક્રમે ગુવાહાટી, ઈન્દોર અને પુણે ખાતે રમાશે. શ્રીલંકા પહેલા આ સીરીઝ ઝિમ્બાબ્વે સામે રમાવાની હતી, પણ ઝિમ્બાબ્વે પર ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ મૂકયો હોવાથી એના સ્થાને શ્રીલંકાને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

(3:42 pm IST)