Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પ્રીતિ ઝિંટાની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના સુકાનીપદ આર,અશ્વિનને સોંપાયું

યુવરાજસિંહ,ક્રિસગેલ અને ડેવિડ મિલર જેવા દિગ્ગજ ખેલાડીઓનો ટીમમાં સમાવેશ

અભિનેત્રી પ્રીતિ  ઝિંટાની કિંગ્સ ઇલેવન પંજાબ ટીમને આઇપીએલની આગામી સિઝન માટે નવો સુકાની મળી ગયો છે આઇપીએલમાં પંજાબની ટીમનું સુકાની પદ ભારતીય ટીમના ઓલરાઉન્ડર  આર. અશ્વિનને સોંપવામાં આવ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં અશ્વિન તેમજ યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને ડેવિડ મિલર જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

(9:11 pm IST)