Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

બુમરાહ હજુ છ મહિના ક્રિકેટથી દુર રહેશેઃ વાપસી માટે ઉતાવળ નથી

નવી દિલ્‍હીઃ બુમરાહે હાલમાં તેને પીઠનો સર્જરી ન્‍યૂઝીલેન્‍ડમાં કરાવી હતી,  તે  છ મહિના વધુ ક્રિકેટથી દુર રહશે. જોકે, વનડે વર્લ્‍ડકપ પહેલા જસપ્રીત બુમરાહની વાપસી કરાવવા માંગે છે.  જલદી એનસીએમાં પરત ફરવાનો છે.

 બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્‍ડિયન એક્‍સપ્રેસને બતાવ્‍યુ કે, જસપ્રીત બુમરાહની પીઠ હજુ પણ નાજુક સ્‍થિતિમાં છે,  ગઇ વખતે  વાપસી ઉતાવળમાં કરાવવામાં આવી હતી,  તે સમયે પુરેપુરી રીતે તે ફિટ ન હતો થયો. આના પર અમે ખુબ ગંભીર છીએ કેમ કે ખોટો કૉલ તેના કેરિયર માટે ખુબ નુકશાનકારક બની શકે છે.ઇનસાઇટસ્‍પૉર્ટ્‍સના એક સીનિયર બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે, જસપ્રીત બુમરાહની વાપસીની તારીખ હજુ મુશ્‍કેલ છે. જયારે એકવાર તે સર્જરીથી ઠીક થઇ જશે, તો તે રિહેબમાંથી પસાર થશે અને રિહેબ ખતમ થવા પર જ અમને ખબર પડશે કે તે ક્‍યાં સુધી વાપસી કરી શકે છે

 

(4:00 pm IST)