Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ઓસ્ટ્રેલિયા સામે જીતથી આત્મવિશ્વાસ વધશેઃ મિતાલી

સિડનીઃ  ભારતની સ્ટાર બેટસમેન મિતાલી રાજે સ્પિનર પૂનમ યાદવના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું હતુ કે  પહેલા મેચમા  ઓસ્ટ્રેલીયા જેવી મજબુત ટીમને હરાવવાથી ભારતનો આત્મવિશ્વાસ વધશે. ટી-ર૦  વિશ્વકપના પહેલા મેચમાં પુનમની ચાર વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલીયાને ૧૭ રને હરાવ્યું હતુ.  મિતાલીએ આઇસીસી માટે લખેલી કોલમમાં કહ્યું હતુ કે  દરેક લોકો ઓસ્ટ્રેલીયાની બેટીંગની વાત કરે છે તેમ છતાં ઓસ્ટ્રેલીયાની ટીમ ૧૩ર રનનું લક્ષ્ય મેળવી શકી નહોતી.  ભારતનો આત્મવિશ્વાસ ઓસ્ટ્રેલીયા સામે મળેલી જીતથી વધશે.

(1:50 pm IST)