Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કુંબલે ભારતને મળેલો સૌથી મહાન મેચવિનર છેઃ હરભજન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે અનિલ કુંબલેના રૂપમાં ભારતને એનો સૌથી મહાન મેચવિનર મળ્યો છે. હરભજન સિંહનું મોટા ભાગનું ટેસ્ટ ક્રિકેટ કરીઅર કુંબલેના નેતૃત્વમાં રહ્યું છે.

લોકો કહે છે કે કુંબલે બોલ સ્પિન નથી કરી શકતો, પણ તેણે દુનિયાને બતાવી દીધું કે જો તમારૃં મન હોય તો તમે સ્પિન કરીને અથવા ન કરીને પણ બેટ્સમેનને આઉટ કરી શકો છો. જો કોઈનામાં અનિલભાઈ કરતાં અડધી પણ આવડત હોય તો તે ચેમ્પિયન બની શકે છે. હું ખરેખર નસીબદાર છું કે તેમના નેતૃત્વમાં કેટલાંક વર્ષ રમી શકયો.

(3:53 pm IST)