Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

૨૦૧૧ના વર્લ્ડ કપને યાદ કરીને આજે પણ રૃંવાડા ઊભા થઈ જાય છેઃ સચિન તેન્ડુલકર

મુંબઈઃ સચિન તેન્ડુલકરનું ઈન્ડિયન ટીમ માટે વર્લ્ડ કપ જીતવાનું સપનું ૨૦૧૧માં પુરૂ થયું હતું અને એ જીતને આજે પણ યાદ કરતાં તેનાં રૃંવાડાં ઊભાં થઈ જાય છે. સચિને તેની કરીઅરમાં છઠ્ઠીવાર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ જીત મેળવી હતી. લૌરિયસ સ્પોર્ટિંગ મૂમેન્ટ ૨૦૦૦-૨૦૨૦ માટે વર્લ્ડ કપની જીતનાએ કિસ્સાને પસંદ કરવામાં આવ્યો છે. એને વિનર બનાવવા માટે વિરાટ કોહલી અને યુવરાજ સિંહે પણ લોકોને અપીલ કરી છે.

યુવરાજની ટ્વીટનો જવાબ આપતાં સચિને ટ્વીટ કર્યું હતું કે 'યુવી, આ ઘટના ટીમ ઈન્ડિયાની સાથે દુનિયાભરમાં રહેલા તમામ ભારતીયો માટે હતી. ૨૦૧૧ વર્લ્ડકપ જીત્યાનો કિસ્સો યાદ કરૃં તો આજે પણ એવું જ લાગે છે કે એ ગઈકાલની વાત છે. એ રાત યાદ કરીને આજે પણ મારાં રૃંવાડાં ઊભાં થઈ જાય છે.'

(4:06 pm IST)