Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ફિફા 2022 વર્લ્ડ કપની રેસમાંથી ભારતીય ટીમ બહાર : ઓમાન સામે 0-1થી પરાજય

ભારતીય ફુટબોલ ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાં એક પણ મેચ જીતી ન શક્યું

મુંબઈ : ભારતીય ફુટબોલની ટીમ ફિફા 2022 વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેકાઇ છે.કવોલિફાય રાઉન્ડમાં ભારતીય ફુટબોલ ટીમ 0-1થી ઓમાન સામે હારી ગઈ છે આ બીજીવાર થયું છે કે ભારતીય ટીમ ઓમાન સામે હારી ગયું હોય. આ પહેલા ગુવાહાટીમાં ભારતીય ટીમ 1-2થી ઓમાનની ટીમ સામે હારી ગયું હતું.

    ફિફા વર્લ્ડ કપ 2022 ક્વોલિફાયર રાઉન્ડમાં ભારતીય ફુટબોલ ટીમ સામે ઓમાનના મોહનસિન ઉલ ઘાસાની એક માત્ર ગોલ કરવામાં સફળ રહ્યો હતો. ઓમાનના મોહનસિન ઉલ ઘાસાનીએ મેચમાં 33મી મીનીટે ટીમનો પહેલો અને એક માત્ર ગોલ કર્યો હતો. પુરી મેચમાં ભારતીય ટીમ ઓમાન સામે સ્ટ્રગલ કરતી જોવા મળી હતી.

    ફુટબોલ વર્લ્ડ કપ 2022ની ક્વોલિફાયરની પાંચ મેચોમાંથી ભારત એકપણ મેચ જીત્યું ન હતું. 3 મેચ ડ્રો થઇ અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતના પાંચ મેચમાં માત્ર 3 પોઇન્ટ છે. તે ગ્રુપ Eમાં ચોથા સ્થાને છે. એશિયન ચેમ્પિયન કતાર 5 મેચમાં 13 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જયારે ઓમાન 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ઓમાનથી 9 અંક પાછળ છે. તેને હજી 3 મેચ રમવાની છે. ભારત ત્રણેય મેચ જીતે તો પણ ઓમાનની બરોબરી જ કરશે. તેવામાં તે ત્રીજા રાઉન્ડમાં પહોંચે તેવી સંભાવના નહિવત છે. 2023ના એશિયન કપ ક્વોલિફાયરમાં ભારતની આશા હજી પણ જીવંત છે.

(9:56 pm IST)