Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધોનીને ફરી રમતો જોવો એક લહાવો હશે : સેહવાગ

ભારતના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દર સેહવાગને લાગે છે કે આ વખતની આઇપીએલ એકસ્ટ્રા સ્પેશ્યલ હશે અને એનું કારણ છે મહેન્દ્ર સિંહ ધોની. ધોની એક વર્ષ પછી અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત બાદ પહેલી વાર મેદાનમાં ઊતરશે.  એક ઇન્ટરવ્યુમાં સેહવાગે કહ્યું હતું કે મને લાગે છે કે આઇપીએલની આ સીઝન હર કોઈ ખીલાડીની સાથે પ્રેક્ષકો માટે પણ ખાસ વિશેષ બની રહેશે. ધોનીને ફરી પિચ પર જોવો નિશ્યિતરૂપે આનંદની ક્ષણ બની રહેશે. દ્યણું બધું થશે, શું મારે આ વિશે વધુ કંઈ કહેવાની જરૂરત છે?

(3:27 pm IST)