Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મોહમ્મ્દ કૈફ પછી વધુ એક ભારતીય ક્રિકેટર લીધો સન્યાસ

નવી દિલ્હી:મોહમ્મ્દ કૈફ પછી વધુ એક ભારતીય ક્રિકેટરે સન્યાસ લીધાની જાહેરાત કરી છે. દિલ્હીના ઝડપી બોલર પરવીન્દ્ર અવાનાએ ક્રિકેટના તમામ પ્રારુપમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. અવાનાએ અંતિમ પ્રથમ શ્રેણી નવેમ્બર 2016માં રમી હતી. 32 વર્ષીય અવાનાએ ટ્વિટ પર જણાવ્યું કે ભારત અને ડીડીસીએના પ્રતિનિધત્વ કરવું મારા માટે ગર્વની વાત રહી છે. મને લાગે છે કે સમય સારો છે જયારે મારે ક્રિકેટની દુનિયાને અલવિદા કહેવું જોઈએ.મને ક્રિકેટનું મંચ આપનાર તમામનો હું આભારી છું.અવાનાએ કિંગ ઇલેવન પંજાબ ટીમ તરફથી આઈપીએલમાં ત્રણ વર્ષ રમી છે.

(5:32 pm IST)