Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

વિરાટનો આફ્રિકાનો આ પ્રવાસ કદાચ છેલ્લો હશેઃ દાનિશ કનેરીયા

કેપ્ટન તરીકે સિરીઝ જીતવાની છેલ્લી તક

નવી દિલ્હીઃ વિરાટ કોહલી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ છેલ્લો સાબિત થઈ શકે છે.  જો કોહલી અહીં નિષ્ફળ જાય છે, તો કદાચ તેને આ ફોર્મેટના સુકાનીપદેથી પણ હટાવી દેવો જોઈએ.  એવું પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિન બોલર દાનિશ કનેરિયાનું માનવું છે.   હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કનેરિયાએ કહ્યું, ઁવિરાટ કોહલી માટે આ પ્રવાસ ઘણો મોટો છે કારણ કે ભારતે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી.  વિરાટ કોહલી માટે દક્ષિણ આફ્રિકામાં કેપ્ટન તરીકે શ્રેણી જીતવાની આ છેલ્લી તક હશે.  તે સ્પષ્ટ છે કે હાલમાં વિરાટ અને બીસીસીઆઇ વચ્ચે જે પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે, તે પછી તેમની પાસેથી ટેસ્ટ કેપ્ટનશિપ પણ છીનવાઈ રહી છે. 

(3:47 pm IST)