Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રોહીત અને રવિન્દ્ર પહોંચ્યા એનસીએ કેમ્પમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરશેઃ યશ ધુલે તસ્વીર શેર કરી

નવી દિલ્હીઃ વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પહોંચ્યા છે. આ બંને દક્ષિણ આફ્રિકા સામેની  ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં,  વન-ડે શ્રેણી પહેલા, આ બંને ખેલાડીઓ તેમની વાપસી માટે NCAમાં ફિટનેસ મેળવવા માંગે છે.  હાલના NCA ચીફ વીવીએસ લક્ષ્મણ છે.  અંડર-૧૯ એશિયા કપ પહેલા NCA માટે તૈયારી કરી રહી છે. અંડર-૧૯ ખેલાડીઓનો NCAમાં પ્રેકિટસ કેમ્પ ચાલી રહયો છે.  દિલ્હીનો યશ ધૂલ પણ આ કેમ્પનો ભાગ છે, જે ટી-૧૯ એશિયા કપમાં ભારતની ટીમનું નેતૃત્વ કરશે.  યશ ધુલે રોહિત અને જાડેજા સાથેની તસવીરો શેર કરી હતી. રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા છે, જ્યારે જાડેજાને હાથમાં ઈજા થઈ છે.

(3:46 pm IST)