Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વિરાટના આરોપનો જવાબ આપવા પાક. ક્રિકેટરની સલાહ

ભારતીય ક્રિકેટમાં વિવાદની સમગ્ર વિશ્વમાં ચર્ચા : સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના નિવેદન અલગ છે, જેને નજરઅંદાજ કરી શકાય નહી : સલમાન બટ્ટ

નવી દિલ્હી , તા.૧૬ : ભારતીય ક્રિકેટમાં આવેલા ભૂકંપની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોગલીએ એક વિવાદિત ખુલાસો કર્યો હતો. એક તરફથી તેણે બીસીસીઆઈની કાર્યશૈલી પર સવાલો ઊભા કરી દીધા હતા. ત્યારે હવે આખા વિવાદમાં પાકિસ્તાનની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. હવે બીસીસીઆઈ અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીની વચ્ચેના મતભેદ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે પૂર્વ પાકિસ્તાની ઓપનર સલમાન બટે પણ પોતાની સલાહ રજૂ કરી છે. તેણે એક તરફથી ગાંગુલીને સલાહ આપી દીધી છે. તેણે કહ્યું કે, સૌરવ ગાંગુલીએ સામે આવવું જોઈએ. જવાબ આપવો જોઈએ કે કારણ કે જે આરોપ વિરાટ કોહલીએ લગાવ્યો છે તે ગંભીર છે.

સલમાન બટે તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ગાંગુલી અને વિરાટના નિવેદન અલગ અલગ છે. જેને નજરઅંદાજ કરી શકાય નહીં. કોઈ કેપ્ટનશિપનો મામલો નથી. રોહિત શર્માએ ઈન્ટરનેશનલ અને આઈપીએલ એમ બંનેમાં પોતાને કપ્તાન તરીકે સાબિત કર્યો છે. પરંતુ એક મહાન ખેલાડી પાસેથી કેપ્ટનશિપ લઈને બીજાને સોંપી ગઈ, યોગ્ય નથી.

થોડા સમય પહેલાં જ્યારે ગાંગુલીને વિરાટ કોહલીની કેપ્ટનશિપ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે, અમે અપીલ કરી હતી કે તે ટી-૨૦ કેપન્ટનશિપમાંથી હટે. પણ વિરાટ પદ પર ચાલુ રહેવા માગતો નથી. એટલા માટે પસંદગીકર્તાઓને લાગ્યું કે સફેદ બોલના બે ફોરમેટમાં બે અલગ અલગ કેપ્ટન રાખી શકાય નહીં. ગાંગુલીએ સાથે એવું પણ કહ્યું હતું કે, તેઓએ ખૂદ કોહલી સાથે વાત કરી અને તેને ટી-૨૦ કેપ્ટનશિપ છોડવા માટે સલાહ આપી હતી.

મેં ટી-૨૦ ઈન્ટરનેશનલ કેપ્ટનશિપ છોડતા પહેલાં બીસીસીઆઈને અંગે જાણ કરી હતી. મારો દ્રષ્ટિકોણ સમજાવી દીધો હતો. બીસીસીઆએ મારા નિર્ણયને સહજતાથી સ્વીકાર્યો. કોઈ ખટરાગ કે વિવાદ જેવી સ્થિતિ નહોતી. મેં પણ સ્પષ્ટતા કરી હતી કે, હું માત્ર ટી-૨૦ કેપ્ટનશિપ છોડી રહ્યો છું, ટેસ્ટ અને વનડેની કેપ્ટનશિપ ચાલુ રાખીશ. મેં વખતે સ્પષ્ટતાથી કહ્યું હતું કે, જો પદાધિકારી કે પસંદગીકર્તા નથી ઈચ્છતા કે હું કોઈ પણ જવાબદારી સંભાળુ તો હું એના માટે પણ તૈયાર છું. મહત્વનું છે કે, ૧૫ ડિસેમ્બરે સાઉથ આફ્રિકાના પ્રવાસે જતા પહેલાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, મને ફોન કરીને કેપ્ટનના પદેથી હટાવી દીધો હતો. પસંદગી સમિતિના પ્રમુખ ચેતન શર્માએ ટેસ્ટ ટીમની જાહેરાતના માત્ર દોઢ કલાક પહેલાં જણાવ્યું હતું.

(7:10 pm IST)