Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની વન ડે અને ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે માલિંગાની પસંદગી

નવી દિલ્હી: શ્રીલંકાની ટીમ આવતીકાલે વહેલી પરોઢથી ન્યુઝીલેન્ડની ભૂમિ પર યજમાનો સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે. બે ટેસ્ટની શ્રેણી બાદ બંને દેશો વચ્ચે જાન્યુઆરીમાં ત્રણ વન ડે અને એક ટી-૨૦ રમાશે.તાજેતરમાં શ્રીલંકન ક્રિકેટમાં એન્ટી કરપ્શન યુનિટ ગહન તપાસ ચલાવી રહ્યું છે, જેના કારણે ઘણા હોદ્દેદારોને દૂર કરવામાં આવ્યા છે, તો કેટલાકની બદલી કરી દેવામાં આવી છે. શ્રીલંકાએ અંતર્ગત હવે પસંદગી સમિતિ પણ બદલી નાંખી છે. નવી પસંદગી સમિતિએ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની વન ડે અને ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે માલિંગાને પસંદ કર્યો છે.જ્યારે અગાઉની પસંદગી સમિતિએ વન ડે ટીમના કેપ્ટન તરીકે ચાંદીમલને અને ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે થિસારા પરેરાને તક આપી હતી. જોકે નવી સિલેક્શન પેનલે બંનેને સાઈડલાઈન કરી દીધા છે. અગાઉની પસંદગી સમિતિએ કગાળ ફિટનેસ અને નબળા ફોર્મ બદલ પડતા મૂકેલા એંજેલો મેથ્યૂસને ફરી ટીમમાં સ્થાન મળી ગયું છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જાન્યુઆરીએ પ્રથમ વન ડે રમાશે. જે પછી તારીખ અને જાન્યુઆરીએ અનુક્રમે બીજી અને ત્રીજી વન ડેનું આયોજન થશે. પ્રવાસની આખરી અને એકમાત્ર ટી-૨૦ ૧૧મી જાન્યુઆરીના રોજ રમાશે. વન ડે અને ટી-૨૦ ટીમ : માલિંગા (કેપ્ટન), ડિકવેલા (વાઈસ કેપ્ટન), મેથ્યૂસ, ગુણાથિલાકા, કુસલ પરેરા, ચાંદીમલ, ગુનારત્ને, કુસલ મેન્ડિસ, ધનંજયા, થિસારા પરેરા, શનાકા, સનદાકન, પ્રસન્ના, ચામીરા, રંજીથ, નુવાન પ્રદીપ અને કુમારા.

 

(5:08 pm IST)