Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ધોની વિના ચેન્નાઈ સુપર કીંગ્સ ટીમની કલ્પના પણ કરી શકાતી નથીઃ એન.શ્રીનિવાસન

માહિ નથી ઈચ્છતો કે CSK તેને ફરી રીટેન કરે પરંતુ

ચેન્નાઈઃ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસ ને મહેન્દ્ર સિંહ ધોની  વિશે મોટું અપડેટ આપતા કહ્યું કે ધોની નથી ઈચ્છતો કે CSK ટીમ તેને ફરી એક વખત રિટેન કરે. ધોનીનું માનવું છે કે CSK એ તેના પર વધારે પૈસા ન વેડફવા જોઈએ. આ વાતનો ખુલાસો ખુદ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને કર્યો છે.

 એન શ્રીનિવાસને કહ્યું ધોની એક ઈમાનદાર અને ન્યાયી વ્યકિત છે અને તે નથી ઈચ્છતો કે ટીમ તેના પર વધુ પૈસા ખર્ચે. હું ઈચ્છું છું કે ધોની આવતા વર્ષે પણ અમારો કેપ્ટન બને અને અમારા માટે રમે. અગાઉ તેણે કહ્યું હતું કે ધોની CSK, ચેન્નાઈ અને તમિલનાડુનો મહત્વપૂર્ણ ભાગ છે. ધોની વિના કોઈ CSK નથી અને CSK વિના કોઈ ધોની નથી.

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસને કહ્યું હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સ વિના ધોનીની કલ્પના કરી શકાતી નથી, જે દિગ્ગજ ક્રિકેટર અને આ ફ્રેન્ચાઈઝી ટીમ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે.

(2:27 pm IST)