Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ભારતીય ક્રિકેટર ધોનીએ ક્રિકેટને અલવિદા કહેવાના સમાચારમાં ચેન્નાઇ સુપર કિંગ્સે કહ્યું કે ધોની ર૦ર૦ સુધી આઇ.પી.એલ.માં તો રમશે જ..

નવી દિલ્હી :  છેલ્લા કેટલાક સમયથી ભારત ન્યુઝીલેન્ડ સામે હારી ગયા બાદ હવે ધોની ક્રિકેટને અલવિદા કરી સન્યાસ લઇ રહ્યાના સમાચારો વહેતા થતા ક્રિકેટ રસીકો ચિંતામાં મુકાઇ ગયા હતા ત્યારે આઇપીએલની ફેન્ચાઇઝી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે ધોની આઇપીએલ મેચ-ર૦ર૦ સુધી રમવાની જાહેરાત કરી છે.

ધોનીના સંન્યાસને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આઈપીએલની ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે એક સૂત્રને કહ્યું કે ધોની આવતા વર્ષે આઈપીએલમાં રમશે. અહેવાલ મુજબ 38 વર્ષના ધોનીની વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની શક્યતા છે, પરંતુ તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે 2020 આઈપીએલ રમશે.

વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ધીમી બેટિંગના કારણે ધોનીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી અનેક લોકોએ તો તેને સંન્યાસ લેવાની પણ સલાહ આપી દીધી હતી, પરંતુ તે સેમીફાઇનલમાં દિગ્ગજ વિકેટકિપરે પોતાની બેટિંગથી સારું પ્રદર્શન કરી ભારતની જીતની આશા જીવંત કરી હતી. ધોનીએ સેમીફાઇનલમાં ટીમ કપરી સ્થિતિમાં મૂકાયા બાદ રવિન્દ્ર જાડેજાની સાથે મળીને સાતમી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી હતી. પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. માર્ટિન ગપ્ટિલે તેને રન આઉટ કરીને ભારતની આશાઓ તોડી દીધી હતી.

બીજી તરફ, સેમીફાઇનલ બાદથી ધોનીની ક્રિકેટને અલવિદા કહેવાની ચર્ચા વધુ ઉગ્ર બની ગઈ હતી અને પ્રશંસકોને સમજાતું નહોતું કે શું વનડે ક્રિકેટથી સંન્યાસ બાદ ધોની આઈપીએલ રમશે કે નહીં. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સે ખુલાસો કરી દીધો છે કે તે આગતા વર્ષને દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં રમતો જોવા મળશે.

(3:13 pm IST)