Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની મેચ રદ થતાં ચાહકોમાં નિરાશા:વરસાદના વિઘ્નથી મેદાનમા જીતથી વંચિત

ભારતીયે ટીમે જીત ની આશા સાથે મેદાનમાં ઉતારવાની નેમ લીધી હતી.

વર્લ્ડકપ ૨૦૧૯ નો ક્રેઝ જામ્યો છે ત્યારે વરસાદના વિઘ્ન વચ્ચે ગઈ કાલે ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની મેચ રદ થતાં ક્રિકેટ રશિકોની સાથે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીમાં પણ નિરાશા જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ભારતની ત્રીજી વનડે મેચ હતી.

નોટિંગહામના ખરાબ વાતાવરણ ના વચ્ચે વરસાદે વિલન ની ભૂમીકા નિભાવતા મેચ રદ કરવામાં આવી હતી અને બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યો હતો,જોકે ભારતીયે ટીમે જીત ની આશા સાથે મેદાનમાં ઉતારવાની નેમ લીધી હતી. પરંતુ વરસાદના વિઘ્ન વચ્ચે આ શક્ય ન બનતા ચાહકોની સાથે કેપ્ટન વિરાટ કોહલી પણ નિરાશ થયા હતા.

 એમને જણાવ્યુ હતું કે શિખર ધવન ની ઇજા ચિંતા જનક છે પણ તેઓ સેમી ફાઇનલ સુધી સાજા થઈ જશે એક બીસીસીઆઇ ની ડોક્ટર ટીમ એમની સાથે છે અને અમારી નજર એમના સ્વાસ્થ્ય પર છે સાથે સાથે કોહલીએ ઉમેર્યું હતું કે હવે આગામી મેચ પાકિસ્તાન સાથે છે ત્યારે દર્શકો મેદાનમાં શાંતિ રાખે તેવી અપીલ પર તેમણે કરી હતી

(11:42 am IST)