Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભારત- પાકના સંબંધ સુધારવા માટે મૈં શોએબ સાથે નિકાહ નથી કર્યા: સોનિયા મિર્જા

નવી દિલ્હી: પાકિસ્તાની પતિને લઈને હમેશા સવાલોનો મારો ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા પર થતો હોય છે. વખતે તેને એક ઈન્ટર્વ્યૂહમાં પૂછવામાં આવેલ સવાલનો જબાબ આપતા સાનિયાએ કહ્યું કે ભારત -પાકિસ્તાન સંબંધન સુધારવા માટે મેં શોએબ મલિક સાથે નિકાહ નથી કર્યા, મારી અંગત જિંગદીનો પશ્ન છે જેમાં ભારત-પાકના સંબંધની કોઈ વાત આવતી નથી. મને પાકિસ્તાનમાં મારી સાસરીમાંથી જે પ્રેમ મળે છે જે સામાન્ય પરિણીતાને મળે છે. જો કે અમે દુબઈમાં રહીએ છીએ.મને જયારે પણ તક મળે છે ત્યારે વર્ષમાં એક વાર તો હું પાકિસ્તાન મારી સાસરીમાં જાવ છું. મને ત્યાં ખુબ પ્રેમ મળે છે. મને તમામ પાકિસ્તાની ભાભી કહે છે અને માન સન્માન આપે છે.

(5:59 pm IST)