Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ક્રિકેટર નેહરા જોવા મળશે નવી ભૂમિકામાં:આઈપીએલમાં ભજવશે મેન્ટરની ભૂમિકા

નવી દિલ્હી:તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ભારતના સ્ટાર બોલર આશિષ નહેરા એક નવી ભૂમિકામાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેની આ ભૂમિકા આઈપીએલની ૧૧મી સીઝનમાં જોવા મળશે. નહેરા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે-સાથે આઈપીએલને પણ અલવિદા કહી ચુક્યો છે. ત્યારે આશિષ નહેરા હવે આઈપીએલમાં મેન્ટરની ભૂમિકામાં નજરે પડશે. જોકે હજી સુધી તે કઈ ટીમનો મેન્ટર હશે તે અંગે કોેઈ જાહેરાત કરવામાં આવી નથી. 

સુત્રોના જણાવ્યા મુજબ, આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, દિલ્હી ડેરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલની આગામી સીઝન માટે નહેરાને પોતાનો મેન્ટર બનાવવા માટે પ્રયત્નો શરુ કરાયા છે. આશિષ નહેરા તરફથી હજી સુધી આ મામલે કોઈ સત્તાવર જાહેરાત કરાઈ નથી પરંતુ એવી પુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આશિષ નહેરા વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના મેન્ટર તરીકે જોડાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આશિષ નહેરા ક્રિકેટની દુનિયામાં એક કોમેન્ટર તરીકે પણ સક્રિય થઈ ચુક્યો છે. તાજેતરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકત્તા ખાતે રમાયેલ ટેસ્ટ મેચમાં નહેરાએ કોમેન્ટરની ભૂમિકા ભજવી હતી. 

(5:24 pm IST)