Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

સુર્યકુમારને ચાન્સ મળશે ? સાંજે ટી-૨૦ મુકાબલો

રોહીત-રાહુલ ઓપનીંગ કરશે, ભુવનેશ્વર પણ લાંબા સમય બાદ કમબેક કરશેઃ સાંજે ૭ થી જંગ

અમદાવાદઃ ટીમ ઇન્ડિયા આજથી ઇંગ્લેન્ડ સામે પાંચ ટી-૨૦ મેચની સીરીઝનો આરંભ જીતથી કરવા માગશે.

વિરાટ કોહલીની સેના સામે સૌથી  મોટો પ્રશ્ન યોગ્ય ખેલાડીઓની અને યોગ્ય  કૉમ્બિનિશનની પસંદગી કરવાનો છે. જોકે  દાવની શરૂઆત કરવાના મુદે હવે બહુ  ચિંતા નથી. રોહિત શર્મા ઓપનિંગ કરશે  અને બીજા ઓપનર તરીકે લોકેશ રાહુલને તક આપવામાં આવી હોવાનું કેેપ્ટન  કોહલીએ  કહ્યું

જો વિરાટસેના શિખર ધવનને લઈને મેદાનમાં ઊતરે તો સંભવ છે કે લોકેશ રાહુલને ચોથા નંબરે બેટિંગ કરવા મોકલવામાં આવી શકે, જો એમ થાય તો શ્રેયસ એયરને ટીમમાં સ્થાન અપાતાં ડેબ્યુ પ્લેયર સૂર્યકુમાર યાદવે ભારત વતી  ટીર૦માં રમવા રાહ જોવી ૫ડી શકે.  ઓપનિંગ જોડીને બાદ કરતાં ટીમ માટે  શ્રેયસ એયર અને સૂર્યકુમાર યાદવ ચોથા  અને પાંચમા ક્રમે બેટિંગ કરવા સક્ષમ છે.  ટૂંકમાં ફોર્મમાં ચાલી રહેલા કયા પ્લેયરને લઈને મેદાનમાં ઊતરવું એ ભારતીય ટીમ  માટે કોયડો છે. બોલિંગ-ડિપાર્ટમેન્ટમાં  પણ ટીમ અનુભવી ભુવનેશ્વર કુમારને  રમાડી શકે છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલ,  વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નવદીપ સૈની, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરનો  વિકલ્પ ટીમ પાસે ઉપલબ્ધ રહેશે.

(3:15 pm IST)