Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

શ્રીલંકાના સ્પિનર હસરંગાનો ફેવરીટ ખેલાડી છે વિરાટ

નવીદિલ્હીઃ વિશ્વ ક્રિકેટમાં ઝડપથી પોતાનું નામ બનાવી રહેલા શ્રીલંકાના લેગ સ્પિનર વાનિન્દુ હસરંગા ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ખેલાડી માને છે અને તેને ખાતરી છે કે એક દિવસ તે પોતાની વિકેટ લઈને તેની સાંજને યાદગાર બનાવશે.આ સાથે તેણે કહ્યું કે તે બાબર આઝમ અને ગ્લેન મેકસવેલની વિકેટ પણ લેવા માંગે છે. હસરંગાની સરખામણી શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ મુરલીધરન અને રંગના હેરાથ સાથે કરવામાં આવી રહી છે.  આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં હસરંગા આઠ મેચમાં ૧૬ વિકેટ સાથે સૌથી સફળ બોલર હતો.  પરંતુ તેમ છતાં શ્રીલંકા ગ્રુપ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગયું હતું.  જ્યારે તેને તેની સફળતાના કારણો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે હંમેશા પોતાની ટીમ માટે શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરે છે.

(3:06 pm IST)