Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

ઇશાન્ત વગરની ઇન્ડિયા કમજોર, પણ બુમરાહથી રહેવું પડશે સાવધઃ સ્મિથ

નવી દિલ્હી તા. ૧૧ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૭ ડિસેમ્બરથી બોર્ડર-ગાવસકર ટ્રોફી શરૂ થવાની છે ઇશાન્ત શર્મા ટીમમા ન હોવાનો લાભ યજમાન ટીમને મળી રહેશે, પણ સાથે-સાથે યજમાન ટીમના મોટા ભાગના ખેલાડીઓ જસપ્રીત બુમરાહનો પહેલી વાર ટેસ્ટ ક્રિકેટમાં સામનો કરવાના છે.

કાંગારૂ ટીમના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથનું માનવું છે કે ઇશાન્ત વગરની ભારતની ટીમ જોઇએ એવી મજબુત નહીં હોય, પણ જસપ્રીત બુમરાહથી સાવધ રહેવું પડશે.

મને નથી ખબર કે હું કંઇ ખાસ, કંઇ સ્પેશ્યલ કરી શકીશ કે નહીં, પણ હા, ટેસ્ટ ક્રિકેટમાં હું પહેલી વાર તેનો સામનો કરીશ. જયાં સુધી મને લાગે છે તે પોતાની સ્કિલ સેટમાં વધારે બદલાવ નહીં કરે. અમને ખબર છે કે તે કઇ રીતે બોલિંગ કરે છે.તેની ઝડપ ઘણી સારી છે. તેની અસામાન્ય એકશન ઘણા લોકોથી અલગ પડે છે.

(2:50 pm IST)